સૌરાષ્ટ્રમાં રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર આવ્યા છે જામનગરથી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનના શ્રી ગણેશ થવા જઈ રહ્યા છે આજે જામનગર-અમદાવાદ વચ્ચે ટ્રાયલ યોજવામાં આવશે આ ટ્રાયલ સફળ થશે તો આગામી 24 તારીખથી સપ્તાહમાં છ દિવસ હાપા – અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ દોડશે જો તારીખ 24 મી એ શરૂ નહીં થાય તો બીજી ઓક્ટોબરથી ટ્રેન સેવાનો પ્રારંભ થશે મંગળવારને બાદ કરતા સપ્તાહમાં અન્ય છ દિવસ વંદે ભારત એક્સપ્રેસ દોડશે જામનગરથી સવારે 5:30 વાગે ટ્રેન નીકળી રાજકોટ, વાંકાનેર ,સુરેન્દ્રનગર વિરમગામ થઈને સાબરમતી સવારે 10:10 કલાકે પહોંચશે જ્યારે સાબરમતીથી સાંજે છ વાગે નીકળનારી વંદે ભારત એક્સપ્રેસ રાત્રિના 10:30 કલાકે જામનગર પહોંચી જશેચાર થી સાડા ચાર કલાકમાં જ અમદાવાદ પહોંચી જવાશે. આઠ કોચની વંદે ભારત એક્સપ્રેસ સૌરાષ્ટ્ર વસીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થશે