સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બલદાણા ગામે બે રહેણાક મકાનમાં તસ્કરો દ્વારા ચોરીનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. જેમાં બન્ને મકાનના માલિકો મકાનને તાળું મારી રાત્રે અગાસીમાં સૂતા હતા, તે દરમિયાન તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં જેમાં બલદાણા ગામે તસ્કરોએ બે મકાનના તાળા તોડી 80 હજાર રોકડ રકમ અને 49 તોલાના દાગીના સાથે8.21 લાખની ચોરી કરી ફરાર થયા હતા. જે અંગે વઢવાણ પોલીસ સહિત સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજી સહિતની પોલીસ ટીમે તાકીદે ઘટનાસ્થળે પહોંચી ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. જેમાં ચાવીથી દરવાજો અને કબાટ ખોલીયા હોવાનું સામે આવતાં ચોરીમા જાણભેદુ હોવાની આશંકા ગઈ હતી તેમજ કબાટનુ એક ખાનાનુ લોક તસ્કરોથી ના ખુલતાં દોઢ લાખ રોકડા અને બીજા સોનાના ઘરેણા બચી ગયા હોવાનું સામે આવ્યું હતું.
રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા