30.9 C
Ahmedabad
Tuesday, June 3, 2025
spot_imgspot_imgspot_img

સુરેન્દ્રનગરના ટાગોર બાગના કામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે


ગંદકીથી ખદબદતો સુરેન્દ્રનગરનો ટાગોર બાગ સુરેન્દ્રનગરના ટાગોર બાગના કામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં એક માત્ર લોકોને ફરવા લાયક સ્થળ હોય તો એ ટાગોર બાગ છે પરંતુ એ પણ ખરાબ હાલતમાં છે કરોડો રૂપિયાનો ખર્ચે બનેલો ટાગોર બાગ શોભાના ગાંઠીયા સમાન રહી ગયો છે સૌચાલય તો બન્યું પણ શરૂ થાય તે પહેલા જ જર્જરીત થઈ ગયું છે બાગની અંદર લાઈટો રેલિંગ કે પીવાના પાણીની પણ સુવિધા નથી વોકિંગ ટ્રેક ઉપર પણ લાકડાના ઢગલા જોવા મળી રહ્યા છે બાગની અંદર સુંદર મજાનું એક તળાવ તો બનાવવામાં આવ્યું છે પણ એ ખાલી ખમ જોવા મળી રહ્યું છે સુરેન્દ્રનગરની આન ,બાન અને શાન ગણી શકાય તેવો ટાગોર બાગ બિસ્માર હાલતમાં છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -