ગંદકીથી ખદબદતો સુરેન્દ્રનગરનો ટાગોર બાગ સુરેન્દ્રનગરના ટાગોર બાગના કામમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગરમાં એક માત્ર લોકોને ફરવા લાયક સ્થળ હોય તો એ ટાગોર બાગ છે પરંતુ એ પણ ખરાબ હાલતમાં છે કરોડો રૂપિયાનો ખર્ચે બનેલો ટાગોર બાગ શોભાના ગાંઠીયા સમાન રહી ગયો છે સૌચાલય તો બન્યું પણ શરૂ થાય તે પહેલા જ જર્જરીત થઈ ગયું છે બાગની અંદર લાઈટો રેલિંગ કે પીવાના પાણીની પણ સુવિધા નથી વોકિંગ ટ્રેક ઉપર પણ લાકડાના ઢગલા જોવા મળી રહ્યા છે બાગની અંદર સુંદર મજાનું એક તળાવ તો બનાવવામાં આવ્યું છે પણ એ ખાલી ખમ જોવા મળી રહ્યું છે સુરેન્દ્રનગરની આન ,બાન અને શાન ગણી શકાય તેવો ટાગોર બાગ બિસ્માર હાલતમાં છે