સુરતના વરાછાના ઘનશ્યામ નગર ખાતે આવેલા એક એમ્બ્રોઈડરી યુનિટમાં બુધવારના રોજ પોલીસ દ્વારા દરોડા પાડતાં કૂટણખાનું ઝડપાયું હતું. જેમાં પોલીસે ગોરખધંધા ચલાવતી મહિલા સંચાલક, દેહવ્યાપારનો ધંધો કરતી ત્રણ મહિલાઓ અને શરીર સુખ માણવા આવેલા છ ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા ઘનશ્યામ નગરમાં ગ્રાહકોને બોલાવી ખાસ રૂમોમાં શરીર સુખની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. આ આખું નેટવર્ક મહિલા સંચાલિકા સંચાલિત હોવાનું સામે આવ્યું છે. ગ્રાહક પાસેથી 500, 700 અને 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા ત્રણેય મહિલા દેહવેપારની શિકાર બની હોવાનું અનુમાન છે જેના આધારે તેમને રેસ્ક્યૂ કરીને સેફ હાઉસમાં ખસેડવામાં આવી હતી.