24.3 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

સાબરકાંઠા જીલ્લાના હિમતનગરમાં સિંધી સમાજવાડીથી ચાલીહા સાહેબની શોભાયાત્રા નીકળી હતી હાથમતી નદીમાં ૧૫૧ ઘડા વિસર્જન કરવામાં આવ્યું હતા


હિમતનગરમાં સિંધી સમાજના ભાઈઓના ઘરે ૪૦ દિવસ સુધી ઇષ્ટદેવ ઝૂલેલાલ ભગવાન નિમિતે માટકીમાં પાણી ભરીને મુકવામાં આવે છે જેમાં પૂજન અર્ચન કરી સ્થાપન કરવામાં આવે છે ત્યારબાદ સવાર સાંજ આરતી અને પૂજન કરવામાં આવે છે તો સિંધી ભાઈ બહેનો એક બીજાના ઘરે દરરોજ ૪૦ દિવસ જાય છે અને પૂજન અર્ચન કરી ચાલીહા સાહેબની ઉજવણી કરે છે. સિંધી સમાજના લોકો ૪૦ દિવસ સુધી ઉપાસ કરે છે. સિંધી સમાજના લોકોએ માટકી પૂજન કરેલી દરરોજ આરતી કરવામાં આવે છે. અને છેલ્લા દિવસે સમાજ દ્વારા સમૂહ આરતી કરવામાં આવે છે. બીજા દિવસે સિંધી ભાઈ બહેનો દ્વારા સિંધી સમાજવાડીથી ચાલીહા સાહેબની શોભાયાત્રા નીકળી હતી. જે મહાવીરનગર રસ્તે થઈને રિલાયન્સ મોલ પહોચી હતી. અને ત્યાંથી ઘોરવાડા ગામે પહોચીને હાથમતી નદીમાં ૧૫૧ ઘડાનું પાણીમાં વિસર્જન કર્યું હતું. આ ચાલીહા સાહેબની શોભાયાત્રા પ્રસંગે સિંધી સમાજના પ્રમુખ કુમારભાઈ ભાવનાણી, રાજુભાઈ હોતવાણી, મનીષ કિંમતાણી સહીત સિંધી સમાજના અગ્રણીઓ જોડાયા હતા.

ઉમંગરાવલ સાબરકાંઠા

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -