40.4 C
Ahmedabad
Friday, June 6, 2025
spot_imgspot_imgspot_img

સાંસદ રામ મોકરિયાએ રાજકોટ તોલમાપ વિભાગનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો


રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ તોલમાપ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને ફરી એકવાર ચર્ચા જગાવી છે. સાંસદ મોકરિયાએ જણાવ્યું કે, તેમના એક પરિચિત વેપારીને તોલમાપ વિભાગના અધિકારી હેરાન કરતા હોવાનો ફોન આવ્યો હતો. તેમણે અધિકારીને નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરવા, પરંતુ હેરાનગતિ ન કરવા જણાવ્યું હતું. તેમ છતાં, અધિકારીએ વેપારીને ₹૧૨,૦૦૦નો દંડ અને વધારાના ₹૨૫,૦૦૦નો તોડ કર્યો હતો. આ અંગેની જાણ થતાં જ સાંસદે તાત્કાલિક અધિકારીને ફોન પર ખખડાવ્યા હતા, જેના પરિણામે અધિકારી દસ જ મિનિટમાં વેપારીને પૈસા પરત આપી ગયા હતા. રામ મોકરિયાએ વેપારીઓને અપીલ કરી છે કે, જો કોઈ અધિકારી પૈસા માગે તો ACBમાં ફરિયાદ કરે અથવા લોકપ્રતિનિધિઓનું ધ્યાન દોરે, કારણ કે આવા અધિકારીઓ સામે ફરિયાદ કરતા વેપારીઓ ડરતા હોય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -