24.6 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

સફાઈ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં:કાયમી ભરતીની માંગ સાથે રાજકોટ મ્યુ. કમિશ્નર પાસે હોસ્પિટલ ચોકમાં ધરણાની મંજૂરી માંગી, નહીં મળે તો આંદોલનની ચીમકી


વાલ્મિકી સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી માટે માંગ સામે કોઈ ચોક્કસ પગલાં ન લેવાતા તેઓ એ ધરણા કરવાનું મન બનાવી લીધું છે. તેમજ તેઓની મનપા કચેરી પાસે ધરણા કરવા માટેની પ્રથમ મંજૂરી ટ્રાફિકના કારણોસર નકારી દેવામાં આવતા આજે ફરીવાર હોસ્પિટલ ચોકમાં આંબેડકરની પ્રતિમા પાસે ટ્રાફિકને નડતરરૂપ ન થાય તે રીતે ધરણા કરવાની મંજૂરી માંગવામાં આવી હતી. આ મુદ્દે બે-બે રેલી યોજી રજૂઆતો કર્યા છતાં કોઈ ચોક્કસ કામગીરી નહીં થતા વાલ્મિકી સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળ્યું હતું. આ ઉપરાંત મંજૂરી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. આ ઉપરાંત રાજકોટ સફાઇ કામદાર યુનિયનનાં પ્રમુખ પારસ બેડીયા એ જણાવ્યું હતું કે રાજકોટ કોર્પોરેશનમાં છેલ્લા 26 વર્ષથી સફાઈ કામદારોની કાયમી ભરતી થઈ નથી. અને આ બાબતે 2018માં મોટું આંદોલન થયા બાદ 400થી વધુ લોકોની ભરતી મંજુર કરાઈ હતી. જોકે આજે 5વર્ષ થવા છતાં આ ભરતી થઈ નથી તેમજ આ અંગે કોઈ પણ જવાબ પણ મળ્યો નથી.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -