25.2 C
Ahmedabad
Monday, May 5, 2025
spot_imgspot_imgspot_img

શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવ ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું


આજે શ્રાવણ મહિનાના બીજા સોમવાર ને લઈ દેવાધીદેવ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવ ભક્તો ભારે ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પધારી રહ્યા છે. અને જેમ જેમ શ્રાવણ મહિનો આગળ વધતો જાય છે તેમ તેમ શિવ ભક્તોમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવ પ્રત્યેની આસ્થા પણ વધુ પ્રબળ બનતી જાય છે. જેના દ્રશ્યો આજે ધાર્મિક પુરાવો આપી રહ્યા છે. કારણ કે વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સમગ્ર રાજ્ય અને દેશમાંથી સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ તરફ આવી રહ્યા છે. અને આજે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો નો ઘસારો સોમનાથ મહાદેવ મંદિર તરફ જોવા મળશે તે પ્રકારના દ્રશ્યો પહેલી સવારથી સોમનાથ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે. શ્રાવણી સોમવારે મહાદેવના દર્શન કરવાનું પણ હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ ઉત્તમ અને ફળદાય માનવામાં આવ્યું છે સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવને અર્પણ કરવા માટે બિલ્વપત્ર, આંકડો, પુષ્પ અને અન્ય પૂજન સામગ્રી સાથે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે. અને દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન થનાર છે.

રિપોર્ટર ભરતસિંહ જાદવ ગિરસોમનાથ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -