વિશ્વ હિન્દુ પરિષદ, રાજકોટ મહાનગર દ્વારા છેલ્લા ૨૭ વર્ષથી રાક્ષસ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પરંપરા આ વર્ષે પણ આગળ ધપાવી આગામી દશેરાએ સાંજે સાત વાગ્યે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાક્ષસ દહનનો કાર્યક્રમ યોજાશે. જેમાં આતશબાજી ઉપરાંત લેસર-શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ સાથે જ શસ્ત્ર પૂજનની પરંપરા પણ જાળવવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ, રાજકોટ મહાનગરના નિતેશ કથીરીયાએ કહ્યું કે, રાક્ષસનું બનાવવા ઉત્તરપ્રદેશના ૪૦ કારીગરો આવે છે. જેની અઠવાડિયાની મહેનતના અંતે 60 ફૂટ અને 45-45 ફૂટના બે નાનાં મળી કુલ ત્રણ પૂતળાં તૈયાર થયાં છે. જેનું રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દહન કરવામાં આવે છે. આ વખતે આ કાર્યક્રમ તા.૨૪મી મંગળવારે સાંજે સાત વાગ્યે યોજાશે. આ સાથે દર વર્ષ જેમ આ વર્ષે પણ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાક્ષસ દહન બાદ કરવામાં આવશે. જેમાં ત્રિશૂલ, જેટલા તલવાર, રાઇફલ સહિતનાં શસ્ત્રોનું એક પૂજન કરવામાં આવશે.