28.2 C
Ahmedabad
Tuesday, June 17, 2025
spot_imgspot_imgspot_img

વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર દ્વારા રાક્ષસ દહનના કાર્યક્રમની તૈયારીઓને અપાઈ આખરી ઓપ…


વિશ્વ હિન્દુ પરિષદ, રાજકોટ મહાનગર દ્વારા છેલ્લા ૨૭ વર્ષથી રાક્ષસ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પરંપરા આ વર્ષે પણ આગળ ધપાવી આગામી દશેરાએ સાંજે સાત વાગ્યે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રાક્ષસ દહનનો કાર્યક્રમ યોજાશે. જેમાં આતશબાજી ઉપરાંત લેસર-શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ સાથે જ શસ્ત્ર પૂજનની પરંપરા પણ જાળવવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ, રાજકોટ મહાનગરના નિતેશ કથીરીયાએ કહ્યું કે, રાક્ષસનું બનાવવા ઉત્તરપ્રદેશના ૪૦ કારીગરો આવે છે. જેની અઠવાડિયાની મહેનતના અંતે  60 ફૂટ અને 45-45 ફૂટના બે નાનાં મળી કુલ ત્રણ પૂતળાં તૈયાર થયાં છે. જેનું રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દહન કરવામાં આવે છે. આ વખતે આ કાર્યક્રમ તા.૨૪મી મંગળવારે સાંજે સાત વાગ્યે યોજાશે. આ સાથે દર વર્ષ જેમ આ વર્ષે પણ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાક્ષસ દહન બાદ કરવામાં આવશે. જેમાં ત્રિશૂલ, જેટલા તલવાર, રાઇફલ સહિતનાં શસ્ત્રોનું એક પૂજન કરવામાં આવશે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -