28.8 C
Ahmedabad
Tuesday, June 17, 2025
spot_imgspot_imgspot_img

વાલીઓ માટે નિયમ : હવેથી રાજકોટની શાળાઓમાં ટૂંકા વસ્ત્રો પહેરીને જશો તો “No Entry”


રાજકોટમાં શાળા સંચાલકોએ બનાવેલા નિર્ણયએ ચર્ચા જગાડી છે. આ નિર્ણય એવો છે કે જેમાં વાલીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને હવે શાળામાં પ્રવેશ કરી નહીં શકે. અત્યાર સુધી મંદિરમાં આ પ્રકારના નિયમો હતા. પરંતુ હવે શાળામાં પણ આ પ્રકારના નિયમને લઈને ચર્ચા જાગી છે. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, જ્યારે વિદ્યાર્થીને શાળાનો સમય સવારે હોય ત્યારે વાલીઓ બરમુડા કેપરી ગાઉન આ પ્રકારના વસ્ત્રો પહેરીને શાળામાં પોતાના બાળકને મુકવા માટે આવતા હોય છે. જેને લઈને હવેથી એવો નિર્ણય કરાયો છે કે આ પ્રકારના વસ્ત્રો પહેરીને વાલીઓ શાળામાં પ્રવેશ કરી શકશે નહીં. તેમજ જો કોઈ વાલી આ પ્રકારના વસ્ત્ર પહેરશે તો તેને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. શાળા સંચાલકોનું માનવું છે કે, સ્કૂલ પણ એક વિદ્યાનું મંદિર છે અને ત્યાં આ પ્રકારના કપડાં ન શોભે તેમ જ બાળકો પણ વાલીઓ પાસેથી તમામ વસ્તુ જોઈને જ શીખતા હોય છે. વિદ્યાર્થીઓમાં પણ સારા ગુણ કેળવાય અને શિષ્ત જળવાઈ તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ તો રાજકોટની અનેક શાળામાં આ પ્રકારનો નિયમ અમલી બનાવવામાં આવ્યો છે. જ્યારે ટૂંક સમયમાં રાજકોટની તમામ શાળામાં આ પ્રકારનું નિર્ણય આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -