વાંકાનેરના શ્રદ્ધા હોસ્પિટલના ડોક્ટરો ઘોર બેદરકારી ના કારણે કનુંબેન નામની મહિલાનું મૃત્યુ નીપજતા મહિલાના પરિવારજન અને સમાજના આગેવાનો રાજકોટના પીએમ રૂમથી મૃહદેહ સ્વીકારવા નકારી રહ્યાં છે આ સાથે મૃત મહિલાનો પરિવાર અને કોળી સમાજના આગેવાનો રાજ્ય સરકાર તથા પોલીસ તંત્ર ને હોસ્પિટલ અને તેના ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા કોળી સમાજના પરિવાર અને આગેવાનો એ આક્ષેપ કર્યો કે ગયા 28 ઓક્ટોબર ના રોજ હોસ્પિટલના બેદરકારીના કારણે મહિલાનું મૃત્યુ નીપજે છે છતાં પોલીસ આ ઘટના ને લઈને ફરિયાદ નથી લેતી. શ્રદ્ધા હોસ્પિટલના ડોક્ટરે ગર્ભાશયનું ઓપરેશન એક વખત કર્યા બાદ પણ ફરી એક વખત ઑપરેશન પરિવાર ને જાણ કર્યા વગર કર્યું હતું જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ અને ડોક્ટરના ભૂલોના કારણે આ પહેલા પણ અનેક જીવ ગયા છે જેની નોંધ અત્યાર સુધી કોઈ એ લીધી નથી. આ વખતે રાજ્ય સરકાર અને તંત્ર એ આ ગંભીર મુદ્દા પર ધ્યાન દેવું પડશે. પરિવાર અને સમાજના આગેવાન ની સ્પષ્ટ માંગણી છે કે જ્યાં સુધી હોસ્પિટલ અથવા તેના ડોક્ટરો વિરુદ્ધ જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ ધરણા યથાવત રાખીશું અને મહિલાનું મૃતદેહ સ્વીકારશું નહીં, અને જો મૃતદેહની અંતિમ વિધિ તંત્ર કરશે તો અમે સૌ સામુહિક અગ્નિસનાન કરશું.