30.1 C
Ahmedabad
Monday, June 2, 2025
spot_imgspot_imgspot_img

‘વર્લ્ડ નો-ટોબેકો ડે’ નિમિત્તે રાજકોટમાં વ્યસનમુક્તિ માટે વિશાળ રેલી યોજાઈ


આજે, ૩૧મી મે એટલે કે “વર્લ્ડ નો-ટોબેકો દિવસ” આ દિવસ નિમિત્તે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા  રાજકોટમાં વ્યસનમુક્તિ માટે એક ભવ્ય અને પ્રેરણાદાયક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે સાત થી આઠ દરમિયાન બાલભવન ગેટ, રેસકોર્સ ખાતે મોટી સંખ્યામાં શહેરની જનતા, પરિવારો અને બાળકો સફેદ પોશાકમાં ઉમટી પડ્યા હતા. આ વિશાળ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુ સહિતના તમામ વ્યસનોથી થતા કેન્સર જેવી ઘાતક બીમારીઓ સામે જાગૃતિ લાવવાનો અને રાજકોટને નો-ટોબેકો ઝોન બનાવવાનો હતો. આ રેલી દ્વારા સૌએ સાથે મળીને તમાકુ, ગુટખા અને અન્ય હાનિકારક નશીલા પદાર્થોને ‘ના’ કહેવાનો સંકલ્પ લીધો.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -