રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૦૮/૧૧/૨૦૨૩ના રોજ રાજપથ, કાંગશીયાળી, રાજકોટ ખાતે ફાયર સેફટીની મોકડ્રીલનું આયોજન કરવામા આવેલ, જેમાં અંદાજે ૩૦ રહેવાસીઓ જોડાયેલ.
આ મોકડ્રીલ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગેફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના ચીફ ફાયર ઓફીસરશ્રી આઇ. વી. ખેર, ડે.ચીફ ફાયર ઓફીસર શ્રી બી. જે. ઠેબા, સ્ટેશન ઓફિસર શ્રી આર.એ.જોબણ, ફાયરમેન કમલેશ ઝંઝ્વાડીયા, મેહુલભાઇ ઝંઝવાડીયા, ઋતુરાજસિંહ જાડેજા, તથા ટ્રેનર સહિતના સ્ટાફ દ્વારામાહિતગાર કરવામાં આવ્યા હતા.