રાશનકાર્ડ ધારકો માટે ફરજિયાત E-KYCના વિરોધમાં ગુજરાત ફેરપ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા હડતાળ શરૂ કરવામાં આવી છે.આ હડતાળમાં ગુજરાતનું સૌથી મોટું સંગઠન, ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન જોડાયેલું નથી. રાજકોટના 150 સહિત રાજ્યભરના કુલ 15,000 સસ્તા અનાજના દુકાન ધારકોના સંગઠનનું માનવું છે કે, આ હડતાળમાં વેપારીઓ અને ગ્રાહકોના સાચા પ્રશ્નોને યોગ્ય રીતે ઉઠાવવામાં આવ્યા નથી, જેના કારણે તેઓ હડતાળથી અળગા રહ્યા છે. બીજી તરફ, E-KYC વિનાના લગભગ 30 ટકા જેટલા ગ્રાહકોને આજે ઘઉં, ચોખા, ખાંડ અને મીઠું જેવી આવશ્યક ચીજવસ્તુઓ મળી શકી નથી, જેના કારણે ગ્રાહકોમાં પણ મુશ્કેલી અને નારાજગી જોવા મળી રહી છે.