31.7 C
Ahmedabad
Tuesday, May 13, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ સમૂહ લગ્નમાં ડુપ્લીકેટ સોનાના દાગીના પધરાવીને 555 નવવધૂ સાથે વિશ્વાસઘાત


 

રાજકોટમાં ગત 27મી એપ્રિલના રોજ યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં આયોજકો વિવાદમાં સપડાયા છે. 555 નવવધૂઓને આણામાં આપવામાં આવેલા સોનાના દાગીના નકલી નીકળ્યા છે.. સુરેન્દ્રનગરના એક પરિવારે જ્વેલર્સ પાસે તપાસ કરાવતા આ છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો હતો, જે બાદ પોલીસ કમિશનર કચેરીમાં કોળી સમાજના આગેવાન વિક્રમ સોરાણી અને કુવાડવાના ઉદ્યોગપતિ પીન્ટુ પટેલ સામે અરજી કરવામાં આવી છે. પીડિત પરિવારો આયોજકોના ‘સમજણફેર’ના ખુલાસાથી નારાજ છે અને આ ઘટનાને બેદરકારી તથા છેતરપિંડી ગણાવી રહ્યા છે. હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે આ ઘટના રાજકોટના સામાજિક વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -