રાજકોટમાં લોકમેળાને લઇ અધિકારીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું અહતું જેમાં પોલીસ, પુરવઠા,ફાયર,કોર્પોરેશનની ટીમ સહિતના વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ મેળામાં 10 લાખ લોકો મેળો માણશે તેવો અંદાજ કાઢવમાં આવતા 1067 પોલીસ જવાન તેમજ અધિકારીઓની હાજર રહેશેતેવો નિર્ણય લેવામાં આવ્યો હતો આ સાથે મેળામાં નવી નવી રાઇડ્સ અને સાસંકૃતિક કાર્યક્રમોપણ યોજાશે. તેમજ મુખ્યમંત્રી આ મેળો ઉદઘાટન કરી શકે તેવી સંભાવના પણ કરવામાં આવી હતી. આ સાથે મેળામાં થતાં ટ્રાફિકને લઈ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમજ થોડા દિવસ પેહલા જ સોની બજારમાંથી આંતકીઓઝડપાતા લોકમેળામાં સુરક્ષાને લઇ ખાસ ધ્યાન રાખવામાં આવતા પોલીસ દ્વારા એક્સ્ટ્રા ફોર્સની પણ માંગણી કરવામાં આવી છે. તેમજ ટેકનિકલ ઇકવિમેન્ટ્સ અને ગેજેટ્સ પણ માંગવામાં આવ્યા છે