રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાખાજીરાજ વેજીટેબલ માર્કેટને આર એમ સી દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન સંભવિત દુર્ઘટનાઓને ટાળવાનો છે. RMC દ્વારા સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ ઝોનમાં આવેલા ભયગ્રસ્ત બાંધકામોને નોટીસ આપીને તેમને જર્જરિત ભાગો દૂર કરવા અથવા બાંધકામને મજબૂત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. મનપા અધિકારીઓએ જણાવ્યું કે, આ પગલાં લોકોની સુરક્ષા અને શહેરની રચનાત્મક બાંધકામને બચાવવા માટે જરૂરી છે.