રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસકોર્સમાં રસરંગ લોકમેળાનું તારીખ 5થી 9 સપ્ટેમ્બર માટે આયોજન થયું હતું. જોકે, બે દિવસ પહેલા લોકલાગણીને માન આપી કલેક્ટરે 10 સપ્ટેમ્બર એટલે કે આજે રાત્રે 12 વાગ્યા સુધી મેળો ચાલુ રાખવાનું જાહેર કર્યું હતું. જોકે, સાંજે કોઈપણ પૂર્વ જાહેરાત વિના અચાનક મેળાનો સમય 12 વાગ્યાથી ઘટાડીને 10 વાગ્યાનો કરવામાં આવ્યો હતો અને 10 વાગ્યે મેળાનું ગ્રાઉન્ડ ખાલી કરવા માટે 8:30 વાગ્યાથી સ્પીકર બંધ કરવામાં આવ્યા હતા અને 9 વાગતા જ એન્ટ્રી બંધ કરવામાં આવી હતી. જેને લઈ દૂર-દૂરથી મેળો માણવા આ વેળા અનેક લોકોને નિરાશા સાંપડી હતી. અને રેસકોર્સ રોડ ઉપર પણ લોકોના મોટા ટોળા જોવા મળ્યા હતા.