રાજકોટમાં હત્યાની વધુ એક ઘટના બની છે. જેમાં પીપળીયા હોલ પાસે વાલકેશ્વર સોસાયટીમાં રહેતાં અને ટ્રક કલીનર તરીકે કામ કરતાં વિપુલભાઇ જેન્તીભાઇ મકવાણા નામના નિર્દોષ યુવાનનો ભોગ લેવાયો છે. શકીલના ભત્રીજાને ભગી વાઘેલા નામના શખ્સ સાથે ભાડા મામલે માથાકૂટ થઈ હતી. ભત્રીજાના આંતરિક ઝગડા મામલે વિપુલ મકવાણા સમાધાન માટે ગયા હતા. ત્યારે પાન મસાલાની દુકાને ઉભેલા વિપુલભાઈ ઉપર સાત જેટલા લોકોએ હુમલો કર્યો હતો. હુમલાના કારણે શકીલભાઈ અને વિપુલ ઘાયલ થયેલા જેમાં વિપુલનું મોત થયું છે. અને શકીલભાઈ ઈજાગ્રસ્ત છે જેને ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યા છે.
રાજકોટ: ભાડા મામલે સમાધાન કરાવવા ગયેલા યુવાનની હત્યા, એક ઈજાગ્રસ્ત
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -