24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ દૂધ ઉત્પાદક સંધમાં ઇન્કમટેક્સ નોટિસ મામલે દૂધ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયાનું નિવેદન આવ્યું સામે


 

રાજકોટ દૂધ ઉત્પાદક સંધમાં ઇન્કમટેક્સ નોટિસ મામલે દૂધ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયાએ પોતાનું નિવેદન આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે વર્ષ 2017-2018 માં ઇન્કમટેક્સ દ્વારા નોટિસ અપાય હતી અને અમે અપીલમાં ગયા હતા. તેમજ અગાવ સેન્ટ્રલગોવરમેન્ટમાં અમિત શાહને રજુઆત કરી હતી ત્યારે નિર્ણય અમારા પક્ષમાં આવ્યો હતો આ સાથે તેઓએ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડાવીયા અને પરસોતમ રૂપાલાને મળ્યા હતા ત્યારે ઇન્કમટેક્સે જ અમારા પક્ષમાં નિર્ણય આપ્યો હતો બાદમાં પાછા ઇન્કમટેક્સ વાળા જ સામે અપીલમાં જતા મેટરમાં કોર્ટનો ખોટો ખર્ચ ન થાય અને પશુ પાલકોને ભાર ન પડે તે માટે કેન્દ્રીય મંત્રીને રજુઆત કરી હતી. તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે
2017-2018માં હું ચેરમેન પણ હતો નહિ ત્યારની નોટિસ છે, આ સાથે નિર્ણય અમારા પક્ષમાં જ આવશે તેમ કહી તેઓએ પોતાની વાત પૂર્ણ કરી હતી.

 

પ્રવિણ દોંગા જામકંડોરણા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -