34.3 C
Ahmedabad
Friday, June 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ: તોલમાપ વિભાગના લાંચિયા અધિકારીનો પર્દાફાશ, વેપારીએ સાંસદની મદદથી રૂપિયા પાછા મેળવ્યા!


રાજકોટ તોલમાપ વિભાગના લાંચીયા અધિકારી બંસીલાલ ચૌહાણની લાંચનો મામલો સામે આવ્યો છે.જેમાં ભોગ બનનાર હરિસિંગ સુચારીયાએ નિવેદન આપી જણાવ્યું હતું કે મારી ફેકટરી કુવાડવા રોડ પર આવેલી છે. તોલમાપ ખાતાના અધિકારીઓએ હોમ એપ્લાયન્સના બોક્સ ઉપર યોગ્ય લખાણ લખવામાં આવ્યું નથી તેમ કહી 87,500 દંડ લાગશે તેવું કહી માંગ્યા હતા. 50 હજારની લાંચ માંગી હતી જેમાં દંડની રકમ પણ લેવાનું કહ્યું હતું. પહેલા મેં દંડ આટલો ન કરવા અપીલ કરી હતી. મેં રામભાઈ સાથે અધિકારીને  વાત કરાવી હતી. પરંતુ  37000 હજાર મારી પાસેથી લીધા અને તેમાંથી 12000ની પહોંચ આપી હતી.ત્યારબાદ  રામભાઈ સાથે વાત થતા મારી પાસે  25000 રૂપિયા લાંચ લીધી હોવાનું કહ્યું હતું. અધિકારીને ખખડાવતા 25000 પરત આપવા આવ્યા હતા. આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. હું વેપારીઓને અપીલ કરું છું કે તમારી પાસે કોઈ લાંચ માંગે તો તેણે  ખુલ્લા પાડો.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -