રાજકોટ જિલ્લાના નવાગામ બામણબોર ગામે છેલ્લા 15 દિવસથી લાઈટના ધાંધિયા ચાલી રહ્યા છે વાડી વિસ્તારમાં લાઈટ ન હોવાથી ખેડૂતો અને માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે વાડી વિસ્તારમાં લાઈટ ન હોવાથી અનેક વખત રજૂઆત કરવા છતાં આજ સુધી લાઈટના પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યારે 11 કેવી ગારીડા એસ.જી ફિડર ઠીકરિયારા, નવાગામ બામણબોર ગ્રામ વિસ્તારમાં લાઈટના ધાંધિયા જોવા મળ્યા હતા ખેડૂતો દવર રીંગણી, મરચી, ટમેટા, ગુવાર વગેરે મોંઘા બિયારણ નાખીને વાવેતર કર્યું છે પરંતુ વીજળીના અભાવે વાવેતરમાં મુશ્કેલી સર્જાઇ રહી છે તાત્કાલિક ધોરણે આ સમસ્યા ઉકેલાઈ તેવી ખેડૂતોએ માંગ ઉચ્ચારી છે.