રાજકોટ – કાલાવડ રોડ પર અવધ નજીક વીર સાવરકર નગર આવાસના રહેવાસીઓ રૂડા કચેરીએ પહોંચ્યા હતા. જે અંગે વાતચિત કરતાં તેઓએ જણાવ્યું હતું કે ગામમાં લિફ્ટ, પાણી, લાઈટ જેવી પ્રાથમિક સુવિધાના અભાવને લઇને છેલ્લા 8 વર્ષથી રહેવાસીઓ હેરાન થઈ રહયા છે. તેમજ અનેક વખત રજૂઆત છતાં પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા લોકો હેરાન થતાં હોવાથી અંતે રોષે ભરાઈને રહેવાસીઓ રૂડા કચેરીએ પહોંચ્યા હતા.