25.4 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટ – કાયમી ભારતીને લઈને સફાઈકર્મીઓ આકરાપાણીએ થતાં થાળી વગાડીને કર્યો વિરોધ


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી સફાઈ કામદારોની કાયમી ભરતી કરવામાં આવી નથી. જેને લઈ આજરોજ વાલ્મિકી સમાજ દ્વારા ફરી એકવાર હોબાળો કરવામાં આવ્યો હતો. જેમાં વાલ્મિકી સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ચોક બાબાસાહેબ આંબેડકરના પૂતળાં ખાતે એકઠા થયા હતા. બાદમાં હોસ્પિટલ ચોકથી કોર્પોરેશન કચેરી સુધી થાળી વગાડતા વગાડતા રેલી કાઢી વિરોધ વ્યક્ત કર્યો હતો. મનપા કચેરી બહાર પણ ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. વાલ્મિકી સમાજનાં હોબાળાને લઈને એક તબક્કે મનપા કચેરી બહાર ભારે તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે સ્થાનિક વિજિલન્સ પોલીસનો કાફલો દોડી ગયો હતો. અને થાળી વાટકા સાથે કચેરીમાં પ્રવેશ કરતા સફાઈ કામદારોને અટકાવવામાં આવ્યા હતા. ત્યારે ઢોલ વગાડી વાલ્મિકી સમાજના લોકોએ તંત્રની ઊંઘ ઉડાડવા પ્રયાસો કરતા ટ્રાફિકજામનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે પોલીસે મહામહેનતે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -