રાજકોટ અમદાવાદ હાઈવે રોડ પર તરઘડીયા હાઇવે પર ત્રિમંદિરની સામે શ્રી સિધ્ધરાજ ગૌશાળા આયોજીત ગાયોના લાભાર્થે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. કલાકાર જીગ્નેશ બારોટ, કવિરાજ અપેક્ષા પંડ્યા, દેવલ ભરવાડ, જેનિશ દેસાઈ, જગદીશ મેર, રાધિકાબેન દાવડા ,વગેરે કલાકારોએ ડાયરામાં જમાવટ બોલાવી હતી. આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં સાધુ, સંતો મહંતો, મહેમાનો અને મોટી સંખ્યામાં આજુબાજુના જિલ્લાને તાલુકાના લોકોએ આ લોક ડાયરાની મોજ માણી હતી.