રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, 22મીએ રાજ્યની 243 પંચાયતોમાં પેટાચૂંટણી માટે મતદાન હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સંબંધિત ચૂંટણી વિસ્તારમાં આચારસંહિતા લાગુ કરવામાં આવશે. કુલ 486 મતદાન મથકો પર 5 લાખથી વધુ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીલક્ષી તમામ કામગીરી હાથ ધરવામાં આવી છે, અને દરેક ઉમેદવાર માટે ₹9,000 સુધીની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પેરામિલેટ્રી ફોર્સની માંગણી માટે પણ રજૂઆત કરવામાં આવશે.
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -