આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતીની જાહેર રજા હોય છે છતાંરાજકોટમાં કેટલીક ખાનગી સ્કૂલો શરૂ રાખવામાં આવતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.જેમાં કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકરો ખાનગી સ્કૂલો બંધ કરાવવા નિકળા હતા અને બાલાજી હોલ પાસે આવેલી ધોળકિયા સ્કૂલ બંધ કરાવવા કોંગ્રેસ અને NSUI ના કાર્યકરો પહોંચ્યા હતા. એક બાજુ જ્યાં રાજ્ય સરકાર સરદાર પટેલ જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય એકતા દિવસ ની ભવ્યતા થી ઉજવણી કરે છે અને રાજ્યમાં જાહેર રજામાં જાહેર છે, છતાં ખાનગી શાળાઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને શાળા ચાલુ રાખી રહ્યા છે જાણે તેમને સરકારના જાહેરનામા ની કોઈ પરવાહ ન હોય. મીડિયા સાથે વાત કોંગ્રેસના યુવા આગેવાન રોહિત રાજપૂતએ જણાવ્યું કે ખાનગી સ્કૂલ પોતાની મનમાની ચલાવી રહી છે અને વિદ્યાર્થીઓ સાથે રમત કરતા હોય તે પ્રકારનું વર્તન કરે છે. સરકાર એક બાજુ સરદાર પટેલ જયંતિ ને પ્રોત્સાહન કરવાની મોટી વાત કરે છે ત્યાં બીજી બાજુ આ પ્રકારના દ્રશ્ય સામે આવે છે. જે શંકા ઉપજાવે છે કે સરકાર ની કથની અને કર્ણીમાં લાંબો તફાવત છે.