રાજકોટમાં શ્રી મહિલા કરણી સેના દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર આયોજન પદ્મિનીબા વાળાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમમાં 300 થી 400 બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ શસ્ત્ર પૂજન કર્યા બાદ ઉપસ્થિત મહિલાઓ દ્વારા તલવાર હાથમાં લઈ ગરબા રમવામાં આવ્યા હતા. શાસ્ત્ર એ અન્યાય સામે લડવા માટેની એક શક્તિ હોવાથી શાસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.