25 C
Ahmedabad
Wednesday, May 7, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં શુક્રવારથી ત્રણ દિવસ ઉજવાશે રણછોડનગરની પુષ્ટિધામ હવેલીના પ્રથમ પાટોત્સવ…


રાજકોટમાં આગામી તા.22થી 24 સુધી મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતીની વાડી, 10, રણછોડનગર, નંદગોપાલ ભારત ગેસ એજન્સી સામે ગો.શ્રી કુંજેશકુમારજીની રસાત્મક વાણી દ્વારા ત્રિદિવસીય સત્સંગ સત્ર બપોરે 3થી 6 સુધી રાખવામાં આવેલ છે. ત્યારે ત્રિદિવસીય પાટોત્સવના ઉપલક્ષમાં તા.22ના બુધવારે સાંજે 6-30 કલાકે શ્રી પુષ્ટિધામ હવેલી ખાતે ગોવર્ધન લીલા મનોરથ દર્શન, તા.23ના સવારે 10-30 વાગે હવેલીએ નંદ મહોત્સવના પાલનાના દર્શન તથા તા.23મીના સાંજે 6-30 કલાકે હવેલીએ છાકલીલા મનોરથ તથા રાત્રે નવ વાગે લુહાર જ્ઞાતિની વાડીએ હાલારી રાસનો કાર્યક્રમ તા.24મીના રવિવારે પુષ્ટિમાર્ગ હવેલીએ સાંજે 6-30 કલાકે ફુલ મંડળી તથા ફૂલફાગ મનોરથ દર્શન તથા રાત્રે 8 વાગે કણિકા મહાપ્રસાદનું વિતરણ થશે. આ સાથે ગો.શ્રી કૃષ્ણકુમારજી મ.નું વચનામૃત આગામી તા.29મીના ગુરુવારે સાંજે 6 વાગે દરબાર ગઢ પાસે આવેલી શ્રી બાલકૃષ્ણલાલજી હવેલી ખાતે યોજવામાં આવેલ છે..

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -