રાજકોટમાં શીતળા સાતમની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી આજે પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીઓ સૂર્યોદય પહેલા ઠંડાપાણીથી નાહી-ધોઇ અને આખો દિવસ ઠંડુ જ ભોજન લ્યે છે ત્યાર બાદ ઘીનો દિવો કરી શીતળા માતાની વાર્તા સાંભળે છે અને પૂજા અર્ચના કરે છે આ દિવસે ચુલો સળગાવાતો નથી કેમકે એવું કહેવાય છે કે ચુલો સળગાવનાર પર શીતળામાતા કોપાયમાન થાય છે.શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમને લઈને વહેલી સવારથી ભક્તો પૂજા-અર્ચના માટે ઉમટી પડ્યા હતા વહેલી સવાર થી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી