32.1 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં શિક્ષાના ધામને નશાના ધામ બનતા અટકાવવાની માંગણી ઉઠાવી આ મામલે એન.એસ.યુ.આઈ.દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.આ અંગે એન.એસ.યુ.આઈ.ના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દિવસે દિવસે નશાખોરી વધતી જાય છે. કરોડો રૂપિયા ડ્રગ્સ પકડી પાડવામાં આવી રહ્યું છે તે ખુબ જ ચિંતાનો વિષય છે. હવે શિક્ષાના ધામોને પણ નશાનું ધામ બનાવવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ પકડી પાડવામાં આવ્યા હતાં. એ ખુબ જ માનવ સમાજ અને શિક્ષણ જગત માટે શરમજનક કહી શકાય વિદ્યાર્થીઓને નશાના ચુંગલ માંથી બચાવવા જોઈએ આ પ્રકરણમાં હજુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી આ જ રીતે બે દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં એન.એસ.યુ.આઈ.ના આગેવાનો દ્વારા વિઝિટ કર્યા દરમ્યાન શંકાસ્પદ છોડ પકડવામાં આવ્યા હતાં. ત્યારે વધુ તપાસ કરતા આ છોડ પણ ગાંજાના હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરી આગળથી કાર્યવાહી કરાવવામાં આવી હતી.સોલંકીએ જણાવેલ છે કે અમારી સરકાર સમક્ષ સ્પષ્ટ માંગણી છે કે મારવાડી યુનિવર્સિટીના સત્તાધીશો અને માલિક પર નામ જોગ ફરિયાદ કરવામાં આવે અને આ યુનિ.ની માન્યતા રદ કરવામાં આવે તેમ જ ગુજરાત યુનિવર્સિટીમાં જે કાંઈ પણ પકડાણુ તેની પણ તટસ્થ તપાસ કરી જે કોઈ સંડોવાયેલા હોય તેની સામે કડક કાર્યવાહી કરવા માંગણી ઉઠાવવામાં આવી હતી.


રાજકોટ જિલ્લા કલેકટરતંત્ર અને લોકમેળા સમિતી દ્વારા આગામી તા.5 થી 9 સપ્ટેમ્બર સુધી રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજિત કરાયેલ રસરંગ લોકમેળાના 101 પ્લોટ માટે જુની કલેકટર કચેરીના પટ્ટાંગણમાં આવેલી પ્રાંત-1ની કચેરીના મીટીંગ રૂમમાં આજથી ત્રણ દિવસ હરરાજી રાખવામાં આવી છે.જેમાં આજે પ્રથમ દિવસે સવારના સેશનમાં એ-કેટેગરીના ખાણીપીણીના બે પ્લોટ અને બપોરના સેશનમાં બી-1 કોર્નર ખાણીપીણીના 32 પ્લોટ માટે હરરાજી રાખવામાં આવી છે. પરંતુ હરરાજીમાં આજે પ્રથમ દિવસેજ ડખ્ખો થવા પામેલ હતો. સવારના સેશનમાં વેપારીઓએ નિરસતા બતાવી બે કલાક સુધી અધિકારીઓને રાહ જોવડાવી ફરકયા ન હતાં.ત્યાર બાદ મોડે મોડે વેપારીઓ આવેલ હતાં. પરંતુ હરરાજી થયેલ ન હતી. એ કેટેગરીના બે પ્લોટ માટે પાંચ વેપારીઓએ અરજી કરી હતી છે. જેની અપલેટ પ્રાઈઝ 225000 રાખવામાં આવી છે. જયારે બી-1 કોર્નરના 32 પ્લોટની અપમેટ પ્રાઈઝ 70000 રાખવામાં આવી છે. પરંતુ પ્રથમ દિવસે હરરાજીમાં પ્રકીયા બપોરના 4 વાગ્યે રાખવામાં આવી હતી.સવારના આ હરરાજી ન થતા હવે બપોરના 4 વાગ્યા બાદ એક સાથે 34 પ્લોટની હરરાજી રાખવામાં આવી છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -