23.5 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં ભાજપમાં પત્રિકાકાંડ બાદ કવિતા કાંડ; રાજકોટ ભાજપના કાર્યકરો આગેવાનોના સોશિયલ મીડિયા ગ્રુપમાં ફરતી થઈકવિતા


રાજકોટના ભાજપમાં પત્રિકાકાંડ બાદ કવિતા કાંડસામે આવ્યું છે. જેમાં રાજકોટ ભાજપના કાર્યકરો આગેવાનોના સોશિયલ મીડિયા ગ્રુપમાં કવિતા ફરતી થઈહતી. તેમજ શહેર ભાજપમાં અસંતોષના બળાપા સાથે કવિતા વાયરલથઈહતી. આ સાથે શહેરના રાજકારણમાં જેમનો પ્રભાવ વધ્યો તેવો મામકાવાદ ચલાવતા હોવાનો આક્રોશપણ તેમાં જોવા મળ્યો હતો.તેમજ કવિતામાં જી હજુરીયો અને સગા વાદને પ્રોત્સાહન અપાતું હોવાનો ઉલ્લેખપણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કવિતામાં મુખર્જી અને દિન દયાળના સિદ્ધાંતો ગુમ થયાનો વસવસો વ્યક્ત કર્યોહતો. આ સાથે શિક્ષણ સમિતિને લઈને પણ કવિતામાં થયો ઉલ્લેખકરો હતો. તેમજ સમિતિમાં હતા તો ભ્રષ્ટાચારી હતા સંગઠનમાં આવે એટલે સ્વચ્છ થઈ ગયા તેવા કવિતામાં ચાબખાપણ લખવામાં આવ્યાહતા. આ સાથે મનપામાં પદાધિકારીઓની પસંદગીમાં પણ વાદ ચાલશે તેવી ભીતિ પણ કવિએ વ્યક્તકરતાં કવિની કવિતાથી શહેરના રાજકારણમાં ગરમાવોજોવા મળ્યો હતો. તેમજ આ સમગ્ર મામલે રાજકોટ
ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ નિવેદનઆપતા જણાવ્યું હતું કે મે વર્તમાન પત્ર મારફતે આ કવિતા વાચી છે. અને આ કવિતાથી કદાચ કોઈ કાર્યકરની લાગણી દુભાઈ હશેતેમજ કાર્યકારોનો આટલો વિશાળ પરિવાર હોય એટલે દરેકને ન્યાય ન આપી શકાયપરંતુ કાર્યકરની લાગણીને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરાશે. તેમજ આટલી મોટી પાર્ટીમાં કોણે લખી છે એ હજુ ખ્યાલ નથી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -