રાજકોટમાં બ્રહ્મદેવ સમાજ દ્વારા બ્રહ્મદેવ સમાજ કા રાજા ગણેશોત્સવનું આયોજન બહુમાળી ભવન ચોક ખાતે કરવામાં આવ્યું છે. તેમજ સતત 2 વર્ષ થીબ્રહ્મદેવ સમાજ દ્વારા આ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે બ્રહ્મદેવ સમાજ દ્વારા રાજકોટના તમામ 18 વોર્ડમાં ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ આયોજનનો મુખ્ય ઉદેશ્ય રાજકોટમાં સનાતન ધર્મની એકતા જળવાઈ રહે તે માટે કરવામાં આવ્યું હોવાથી અહી ગણેશોત્સવના મુખ્ય પંડાલ બહુમાળી ચોક ખાતે 4 વર્ણના લોકોએ ભેગા મળી બાપ્પાની મહા આરતી કરી હતી.