34.7 C
Ahmedabad
Friday, May 30, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ મુદ્દે NSUI નો ઉગ્ર વિરોધ :3 દિવસમાં પરિપત્ર રદ નહીં થાય તો તાળાબંધીની ચીમકી


રાજકોટના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ પાસે NAAC/NBA એક્રેડિએશન હશે તે કોલેજના વિદ્યાર્થીઓને વર્ષ 2025-26થી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપનો લાભ મળશે જેને લઇને આજે પ્રદેશ NSUIના પ્રમુખની આગેવાનીમાં અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.  નાયબ નિયામક હાજર ન હોવાથી ઓફિસ સુપ્રિટેન્ડન્ટને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં યુવા વિરોધી ભાજપ સરકાર મુર્દાબાદ, મુર્દાબાદ તેમજ SC -STના વિદ્યાર્થીઓને અન્યાય કરવાનું બંધ કરો જેવા નારા લગાવવામાં આવ્યા હતા. ત્રણ દિવસમાં આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે તો નાયબ નિયામકની કચેરીને તાળા લગાવવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -