રાજકોટમાં પૂજ્ય શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની 2 દિવસમાટે પધરામણી થઈ છે ત્યારે ત્રિવેદી પરીવારનું આમંત્રણ સ્વિકારીનવવિવાહિત ગોપી અનેશ્રવણને આશીર્વાદ આપવા તેઓ “અલ્પના” M-149/150, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પાયલ મેડીસીનની બાજુમાં,અમીન માર્ગખાતે આવ્યા હતા. આ સાથે જ તેઓ આજે સાંજે 6:00 કલાકે શ્રી ચંદ્રમૌલેશ્વર ધામ રતનપર, રાજકોટ ખાતે પધાર્યા હતા.જ્યાં તેઓનું ભવ્ય સાવગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ પૂજ્ય શંકરાચાર્ય 2 દિવસ રાજકોટમાં રહેશે. અને 10મીએ રાજકોટથી દ્વારકા જવા રવાના થશે.