રાજકોટના નિર્મલા રોડ પર આવેલી ક્રશ એન્ડ ક્રેવ કાફેમાં તોડફોડ અને ધમકીનો બનાવ બન્યો હતો. કાફે સંચાલક ધાર્મિક બલદેવ, જે પારકા ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડ્યા હતા, તેમને આરોપી યશોધનસિંહ જેઠવાએ ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.ગઈકાલે રાત્રે યશોધનસિંહે કાફે પર આવી, લાકડા વડે કાચના દરવાજા તોડી, ₹30,000નું નુકસાન પહોંચાડ્યું હતું.આ ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ધાર્મિક બલદેવ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.