આજે મહોરમના પવિત્ર પર્વે શહેરમાં ધામધૂમ થી શાંતિપૂર્વક તાજિયાની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ઠેર-ઠેર તાજીયાનું ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ભીલવાસ ચોક, મોટી ટાંકી ચોક ઉપરાંત ભૂપેન્દ્ર રોડ, ચુનારાવાડ, કોઠારિયા નાકા પોલીસ ચોકીથી પેલેસ રોડ, સોરઠીયા-વે બ્રિજથી જિલ્લા ગાર્ડન ચોક અને ત્યાંથી રામનાથ પરા સહિતના વિસ્તારોમાં તાજીયા જૂલુસનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સાથે મોહરર્મનના પવિત્ર પર્વે નિમિતે રાજકોટ શહેર કલાત્મક તાજિયાઓથી શુશોભિત થયું હતું.