રાજકોટમાં ટ્રિપલ મર્ડરની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી. પત્ની તેના પ્રેમી ભેગી રહેવા ચાલી જતા અને પરત સાથે રહેવા આવવાની ના પાડી દેતા લતી ઉશ્કેરાયો હતો અને પત્ની, તેની પ્રેમી અને તેનો ખુદનો પુત્ર એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે માથે ટ્રક ફેરવી ત્રણેયને મોતને ઘાટ ઉતર્યા હતા. જે અંગે આજીડેમ પોલીસે આરોપી પ્રવિણ દાફડાને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે બનાવમાં પ્રવિણના પુત્ર પ્રદીપ નું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેની પત્ની પારુલ, અને પારુલના પ્રેમી નવનીતનું સારવાર દરમ્યાન સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ તરફ પકડાયેલ પ્રવીણે કબૂલાત આપી કે, પત્નીએ પોલીસમાં નિવેદન આપ્યું કે પ્રેમી સાથે રહેવા માંગે છે. જેથી તે ખૂબ ઉશ્કેરાટમાં હતો.અને તેથીજ તેએ આ કૃત્ય આચર્યું હતું આ સાથે આજીડેમ પીઆઈ એલ.એલ. ચાવડા અને તેની ટીમે તુરંત તપાસ હાથ ધરી હતી. તેમજ મૃતદેહો પીએમ અર્થે ખસેડી તપાસ કરતા આરોપી પ્રવીણને સકંજામાં લેવામાં આવ્યો હતો, આ તરફ મૃતક નવનીતના ભાઈ હિતેશની ફરિયાદ પરથી આઇપીસી કલમ 302 મુજબ પ્રવિણ સામે ગુનો દાખલ કરાયો છે.