શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા કાલે જલારામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ શોભાયાત્રામાં ગોંડલ રામજી મંદિરના પૂ.જલારામદાસજી બાપુ,આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્મા નંદ સરસ્વતીજી સંતશ્રી સનમોલદાસજી બાપુ સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહેતા તેમના દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. તેમજ આ શોભા યાત્રાનું ચૌધરીહાઈસ્કૂલના પટાંગણમાંથી કરવામાં આવ્યું હતું. આ સાથે સંતો-મહંતોદ્વારા દીપ પ્રાગટય, આશીર્વચન, બાદ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યું હતું તેમજ મેદાનમાં ઠંડા સરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત શોભાયાત્રાના રૂટ પર વિવિધ સમાજ જ્ઞાતિદ્વારા યાત્રાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં જલારામ જયંતી નિમિતે જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાનું કરાયુ આયોજન…
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -