તાજેતરમાં ભાવનગરના તળાજામાં યોજાયેલા આહીર સમાજના સમૂહ લગ્નમાં આહીર અગ્રણી ગીગા ભમ્મર દ્વારા ચારણ-ગઢવી સમાજ વિશે અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર રાજ્યમાં ચારણ અને ગઢવી સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે રાજકોટનાં બહુમાળી ચોક ખાતે સમસ્ત ચારણ-ગઢવી સમાજ દ્વારા વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. તેમજ સમાજના આગેવાનોએ રેલી યોજી કલેક્ટર અને પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં ગીગા ભમ્મર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરવામાં આવી હતી.
રાજકોટમાં ચારણ-ગઢવી સમાજે રેલી કાઢી કલેક્ટર-કમિશનરને રજૂઆત કરી
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -