રાજકોટમાં વૈષ્ણવાચાર્ય ગોસ્વામી પરાગકુમારજીના મંગલ સાનિધ્યમાં વૈષ્ણવીનગરી રાજકોટના આંગણે શરદપૂર્ણિમાંની પૂર્વ સંધ્યાએ સર્વોતમ યુવા સંઘ દ્વારા શ્રી કૃષ્ણધામ હવેલીના નવનિર્માણ લાભાર્થે શ્રી સર્વોત્તમ શરદ રાસોત્સવ 2023નું ભવ્ય આયોજન તા.27મીના શુક્રવારે યોજવામાં આવેલ છે. તેમજ વૈષ્ણવચાર્ય ગોસ્વામી પરાગકુમારજી મહોદયની મંગલ અધ્યક્ષતામાં સર્વોત્તમ સેવા સંસ્થાન ના સર્વોત્તમ યુવા સંઘ દ્વારા મુખ્ય સહયોગી એનજે મેઈન્ટલ ને સહ-સહયોગી ગેટવેના સહકારથી શ્રી સવોત્તમ શરદ રાસોત્સવ 2023નું ભવ્ય આયોજ તા.27ના શુકવારે રાત્રે 8 વાગ્યાથી ધોળકિયા સ્કૂલ સામે બાલાજી હોલ પાછળ 150 ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.