રાજકોટમાં ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા ગીતા મંદિર જંક્શન પ્લોટ પર છેલ્લા 53 વર્ષથી સતત દર વર્ષે નિ:શુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે. આ માનવસેવાકાર્ય હેઠળ દરરોજ 200 પરિવારોને તાજી છાશનું વિતરણ કરવામાં આવે છે. આર્થિક સહયોગ અને દાન સ્વીકારવામાં આવે છે, જેના માટે સંસ્થાના અધ્યક્ષ ડૉ. કૃષ્ણકુમાર મહેતાનો સંપર્ક કરી શકાય છે. તેમનો કન્ટેક્ટ નંબર 9898318286 છે. આ સેવાકીય કાર્ય રાજકોટના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.