રાજકોટમાં ગરુડ ગરબી મંડળ દ્વારા દ્વારા રામનાથ પરા ખાતે ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સમગ્ર આયોજન છેલ્લા 126 વર્ષ થી કરવામાં આવે છે. આ સાથે ગરબાની પ્રાચીન સંસ્કૃતિને જોડી રાખતા રાસઅહી 36 બાળાઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. જે રાસ પ્રાચીન સંસ્કૃતિની પરંપરાના રાસો છે. તેમજ આ ગરબી દ્વારા મહિસાસુર રાસ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું જેનાથી લોકોમાં તે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તેમજ મહિસાસુર રાસ જોવા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.