24.3 C
Ahmedabad
Tuesday, May 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટમાં કલેકટર સહિતની સરકારી કચેરીઓ આજે બીજા શનિવારે પણ ચાલુ છતાં અરજદારો અજાણ


રાજકોટ કલેકટર કચેરી-જન સેવા કેન્દ્ર સહિત શહેરના વિવિધ વિભાગોની સરકારી કચેરીઓ આજે બીજા શનિવારે રાબેતા મુજબ ચાલુ રહેવા પામી હતી. જોકે અરજદારો આ અંગે અજાણ હોય સરકારી કચેરીઓમાં ઉડે ઉડેનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે અહીં એ ઉલ્લેખનીય છે કે, દિપાવલીના તહેવારોની રજામાં ધોકાના દિવસની સરકારી કર્મચારીઓને રજા આપીને આજે બીજા શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રાખવા માટે એડજસ્ટમેન્ટ કર્યું હતું. જોકે અરજદારો આ અંગેથી અજાણ રહ્યા હતા. જેના પગલે જુની-નવી કલેકટર કચેરીઓ અને જન સેવા કેન્દ્રો આજે અરજદારો વગર સુમસામ ભાસતા રહ્યા હતા. જુની કલેકટર કચેરીના વિવિધ વિભાગોમાં કર્મચારીઓના ટેબલખુરશી પણ ખાલી ખમ જોવા મળ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -