રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબિકા ટ્રસ્ટ કરણપરા ગરબી ચોક દ્વારા સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાયરૂપ થવા માટે ઉચ્ચકક્ષાના ચોપડા વિતરણનું આયોજન કરાયું છે. તારીખ 5, 6, 7 એમ ત્રણ દિવસ સાંજે 5 થી 8 દરમિયાન રાહતદરે ફૂલસ્કેપ ચોપડા મળી રહેશે. વિદ્યાર્થીએ 2025માં વર્ષની ઓરિજનલ માર્કશીટ સાથે રાખવી ફરજિયાત છે. ચોપડા વિતરણ કાર્યક્રમમાં સ્થાનિક વેપારીઓ, શહેર પ્રમુખ માધવ દવે, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, મનીષ રાડીયા, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.