40.4 C
Ahmedabad
Friday, June 6, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં: પરીક્ષા વિભાગનો છબરડો, વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવાયા


 

રાજકોટની  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગનો છબરડો સામે આવ્યો છે. બી.કોમની પરીક્ષા આપનાર અભિષેક ચાવડા નામના છાત્રે આરોપ લગાવ્યો છે કે, ચાલુ વર્ષે ચોથા મહિનામાં બી.કોમની પરીક્ષા આપી હતી છતાં યુનિવર્સિટી દ્વારા મને ગેરહાજર ગણાવામાં આવ્યો છે.આવા અનેક પરીક્ષાર્થીઓ છે જેઓની સાથે આવું થયું છે. બી.કોમ સેમેસ્ટર છ ની પરીક્ષા આપી હતી છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમને ગેરહાજર ગણવામાં આવ્યા છે. આરોપ લગાવનાર છાત્ર અભિષેક ચાવડાએ કહ્યું કે, ‘આવી બેદરકારીથી અમારા પરિણામો લટકી ગયા છે.’ ચાલુ વર્ષે લેવાયેલી વિવિધ વિષયોની પરીક્ષા આપનાર છાત્રોને પરીક્ષા આપવા છતાં ગેરહાજર દર્શાવવામાં આવતા વિવાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફરી વિવાદમાં લાવી દીધો છે.NSUI દ્વારા મીડિયા સામે આવીને સવાલ ઉઠાવવામાં આવ્યા છે. પરીક્ષા આપનાર અને કાગળ ઉપર ગેરહાજર રહેનાર છાત્રો પણ સામે આવ્યા છે. હોલ ટિકિટમાં સુપરવાઈઝરની સહી હોવાનું સામે આવી રહ્યું છે. અનેક છાત્રો આ બેદરકારીને લઈને ભોગ બન્યા છે, રીએસેસમેન્ટ કરવા છતાં કોઈ નક્કર પરિણામ પણ આવ્યું નથી.NSUI કાર્યકર અંકિત સોંદરવાએ કહ્યું કે, ‘પરીક્ષા વિભાગ વારંવાર છબરડા હોવાનો આરોપ છે. યુનિવર્સિટીની બેદરકારી છતાં અનેક છાત્રોના પરિણામો લટકી ગયા છે.

 

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -