રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તેની સંલગ્ન કોલેજોને એક પરિપત્ર કરવામાં આવ્યો હતો કે નવા શૈક્ષણિક વર્ષથી આર્ટસ ફેકલ્ટમાં ચાલતા ભારતીય સંસ્કૃતિના અભ્યાસક્રમમાં વિધાર્થીઓને એડમિશન ન આપવા કુલપતિના આ વિવાદિત નિવેદનના સમાચાર ટીવીનાઇન પર પ્રસિદ્ધ થતાની સાથે જ કુલપતિએ આ પરિપત્રને રદ્દ કર્યો હતો. તેમજ રાષ્ટ્ર યુનિવર્સિટીના આ નિર્ણય પર યુ ટર્ન લેતા કુલપતિએ દાવો કર્યો હતો કે યુનિવર્સિટી દ્રારા વિષય ચાલુ જ રાખવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે વિધાર્થીઓ આ વિષય પ્રાધ્યાપક ન હોવાને કારણે પસંદ ન કરે તેવું કહેવામાં આવ્યું હતું પરંતુ હવે આ નિર્ણય પર પરત ખેંચવામાં આવ્યો છે અને વિધાર્થીઓ ભારતીય સંસ્કૃતિ વિષય પસંદ કરી શકશે તેવી જાહેરાત કરાઇ હતી.