રાજકોટ શહેર વાડવા રોડ વિસ્તારમાં આવેલ ગ્રાન્ટેડ એમ.એમ. પટેલ સ્કૂલમાં અંદાજિત છેલ્લા ત્રણ મહિના જેટલા સમયથી ધોરણ 11 તેમજ 12 માં ફક્ત બે શિક્ષકો દ્વારા જ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા આપ સાહેબશ્રીને પણ બે વખત રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ સમસ્યાનો હજી સુધી કોઈ અંત આવેલ નથી.તેમજ ધોરણ 11 તેમજ 12ના વિદ્યાર્થીઓને માત્ર બે થી ત્રણ વિષયનો જ અભ્યાસ કરાવવામાં આવે છે. જ્યારે બાકીના વિષયનો અભ્યાસ વિદ્યાર્થી જાતે કરવો તેવું આચાર્ય દ્વારા કહેવામાં આવે છે. જેની જાણ nsuiને થતાં શહેર NSUI દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમ તેઓએ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અથવા શાળાની માન્યતા રદ્દ કરવા માટેની માંગ પણ કરી હતી.