34.7 C
Ahmedabad
Friday, May 30, 2025
spot_imgspot_imgspot_img

રાજકોટના વર્ધમાનનગરમાં તંગદિલી: વિધર્મી અને પરપ્રાંતિઓને મકાન નહીંના બેનરો, સ્થાનિકોનો રોષ


રાજકોટના પોશ ગણાતા વર્ધમાનનગર વિસ્તારમાં શેરી નંબર 6માં હાલ ભારે તણાવનો માહોલ છે. સ્થાનિક રહેવાસીઓએ પોતાનાં ઘરો પર સ્પષ્ટ શબ્દોમાં બેનરો લગાવ્યાં છે કે “વિધર્મીઓ અને પરપ્રાંતીઓએ મકાન લેવા નહીં અને સ્થાનિકોએ વેચવા નહીં.” આ બેનરો દ્વારા સ્થાનિકોએ પરપ્રાંતીઓ અને વિધર્મીઓને મકાન ભાડે આપવા કે વેચાણથી ન આપવા માટેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વિધર્મીના ત્રાસથી તેમને આ પગલું ભરવાની ફરજ પડી છે. આ વિસ્તાર મુખ્યત્વે જૈન અને સોની પરિવારોનો વસવાટ ધરાવે છે અને તેમણે વિસ્તારને તાત્કાલિક અશાંત ધારા હેઠળ લાવવાની માગ કરી છે.

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -