રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટના રસુલપરામાં ગણપતિની મૂર્તિઓ તોડી ત્રણ યુવાનોએ મારામારી કરી હતી. ફરિયાદ નોંધાતા અમીન સમા, રફીક મનસુરી અને બાપુડી શામદાની તાલુકા પોલીસે ધરપકડ કરી હતી. તેમજ આ અંગે રાજસ્થાનના પાલી નજીક આવેલા રાણપર ગામના મૂળ વતની અને અત્રે ઢોલરા રોડ, શક્તિનગર, ગુરુ કૃપા કારખાનાની બાજુમાં રહેતા કિશન નેમાભાઈ રાઠોડએ તમામ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે દસેક વાગ્યે મૂર્તિઓનું કલર કામ કરી જમવા બેસવાની તૈયારી કરતા હતા ત્યારે રસુલપરાનો ટકો ઉર્ફે અમીન તેના બે સાગરીતો રફીક અને બીજા એક અજાણ્યા શખ્સ સાથે અહીં આવ્યો હતો. આવતાની સાથે જ આરોપીઓ અપશબ્દો બોલવા લાગ્યા હતા. હાકલા પડકારા કરતા હતા. આ વંડામાં કેમ રહો છો, વંડામાં કેમ ગણપતિની મૂર્તિઓ બનાવો છો, કહી પાઇપ વડે ગણપતિજીની મૂર્તિઓમાં તોડફોડ શરૂ કરી હતી. જેથી બનાવના પગલે રાજકોટ તાલુકા પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને ફરિયાદી કિશનની ફરિયાદ પરથી પીઆઈ વી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ ત્રણેય આરોપીઓ સામે મારામારી અને ધાર્મિક લાગણી દુભાવવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. અને પીએસઆઈ આર.જે. ચારણ સહિતના સ્ટાફે ત્રણેય આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા.
રાજકોટના રસુલપરાના શક્તિનગરમા ત્રિપુટીનો આતંક, જૂની અદાવતમાં ગણપતિની 30 મૂર્તિઓમાં કરી તોડફોડ
Related Articles
- Advertisement -
- Advertisement -
વિડીયો
- Advertisement -